Profil von Chintan--- વિચારયાત્રા --- FotosBlogListenMehr Extras Hilfe

Blog


    06 Mai

    Few seconds Vs Many Years !!


     Life comes to us with 86400 evaluable pearls each day. But, many of us are so busy with literally unnecessary stuff that we failed to recognize the value and importance of each pearl. As you might have guessed till now, I am talking about 86400 pearls of seconds which makes one whole day of our life. Actually many of us don’t realize that but it’s the fact that our whole life is passed in the arena of fighting between “Few seconds Vs Many Years” !!

    Many times in the whole day “Few seconds” attack the “Many Years” ! Some seconds of seismic shocks of earthquake or tsunami can destroy many years of elaborated and well established infrastructure. Those few seconds of divine wish can destroy centuries of human hard work! This same phenomenon of natural disaster is applicable to the emotional disaster. The shocks generated by ego, misunderstanding, short temper or prejudices can be proved fatal to the lifelong nurtured relationships.

    But, the basic difference between these two disasters is the previous one is uncontrollable and the later one is! One can check the emotional disastrous shocks by providing the shock absorbers like Love, Calmness and Meditation. Such shock absorbers can nullify the deformities created by the shocks.

          So, what should a wise person do is never allow a few seconds to conquer over many years !!



    12 September

    11 સપ્ટેમ્બર એટલે ખાલી 9-11 ???

     

    આજે 11 મી સપ્ટેમ્બર. આજ નો દિવસ આમ તો આખા જગત ના લોકો ને 9-11 (નાઈન - ઈલેવન) તરીકે યાદ છે. આજ ના જ ગોઝારા દિવસે દુનિયા ના સૌથી શક્તિશાળી અને સૌથી સલામત રાષ્ટ્ર ગણાતા અમેરિકા ના ન્યૂ યોર્ક શહેર ની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેંટર ઉપર અમુક ધર્મઝનૂની લોકો એ હુમલો કરી ને કેટલાય નિર્દોષ લોકો ને કમોતે મોત ને ઘાટ ઉતારી નાખ્યા હતા. આ ઘટના તો કદાચ આખા જગત ના લોકો ને મોઢે હશે, તો આપણે એને વિષે અહીં વધુ ચર્ચા નહી કરીએ. મારે તો વાત કરવી છે બીજી બે ઘટના ઓ ની કે જેમણે આખા વિશ્વ ની નજર માં ભારત ના સ્થાન ને ખૂબ જ ઉંચાઈ પ્રદાન કરી. મને પહેલા તો એમ હતુ કે આપણા વર્તમાનપત્રો, ન્યૂઝ ચેનલો કે બીજા જાણીતા બ્લોગ્સ આની ચર્ચા જરૂર થી કરશે જ તો મારે મારી મર્યાદિત સમજ અને જ્ઞાન ને લઈ ને આમાં માથુ મારવુ નથી પરંતુ આમ ન થતા મને લાગ્યુ કે હવે મારે જ આ વાત કહેવી જોઈએ. મારે ખાસ તો આ વાત અમારી આજ ની પેઢી ને કરવી છે જેથી કરી ને આજ ના દિવસ ને તેઓ 9-11 થી પણ કાંઈક વિશેષ રીતે જાણતા થાય.


    આજથી બરાબર 115 વર્ષ પૂર્વે, આજ ની જ તારીખ અને સોમવાર નો દિવસ(11 સપ્ટે. 1893 ),  કોલંબસે અમેરિકા ની કરેલી શોધ ની 400 મી વર્ષગાંઠ નિમિત્તે ત્યાંના લોકો એ યોજેલી વિશ્વધર્મ પરિષદ નું ઉદઘાટન અમેરિકા ના શિકાગો શહેર માં કરવામાં આવ્યુ. અમેરિકાના અને દેશ વિદેશ ના અનેક બુધ્ધિશાળી લોકો થી ખીચોખીચ ભરાયેલા કોલંબસ હોલ ના મંચ પર દુનિયા ના લગભગ બધા જ જાણીતા ધર્મો ના પ્રતિનિધિ ઓ વિરાજમાન હતા. તે મંચ ઉપર કલકત્તા નાં બ્રાહ્મો સમાજ ના પ્રતાપ મજુમદાર અને શ્રીલંકા (તે સમયે સિલોન ) ના બૌધ્ધધર્મ નાં ધર્મપાલ ની વચ્ચે 30 વર્ષ ના એક અજ્ઞાત સન્યાસી થોડા ગભરાટ અને થોડાક કુતુહલ પરંતુ મન માં પોતાના ગુરૂ ઉપર અખૂટ શ્રધ્ધા લઈને બેઠેલા હતા. બધા જ ધર્મ ના પ્રતિનિધિ ઓ એ પોતપોતાનાં વક્તવ્યો આપવા માંડ્યા. અચાનક આ હિંદુ સન્યાસી નું નામ એનાઉંસર દ્વારા બોલવામાં આવ્યુ, પરંતુ કોઈ જ તૈયારી વગર ના એવા આ સન્યાસી તો આટલા બધા પ્રેક્ષકો ને જોઈ ને એટલા તો ગભરાઈ ગયેલા કે તેમણે એનાઉંસર ને થોડીવાર પછી પોતાનુ નામ બોલવા નુ જણાવ્યુ. કારણ કે આ યુવાન સન્યાસી ને આટલા બધા લોકો વચ્ચે બોલવાનો કોઈ મહાવરો ન હતો. આમ ખેંચતા ખેંચતા તેઓ સવાર ના આખા જ કાર્યક્રમ દરમ્યાન બોલવા ઉભા જ ન થયા. પરંતુ હવે આટ આટ્લી મહેનત કરી ને આટલે પહોચ્યા પછી ગભરાયે તો કેમ ચાલે, તો છેલ્લે તેમનુ નામ બોલાતા તેઓ ઉભા થયા. માતા સરસ્વતી ના મંત્ર નુ ઉચ્ચારણ કરી ને તેઓ એ પોતાનુ વક્તવ્ય ચાલુ કર્યુ. પ્રથમ વાક્ય તેઓ બોલ્યા, " અમેરિકા ના બહેનો અને ભાઈઓ " અને ત્યાં તો કાંઈક અપૂર્વ અને અદભૂત દ્ર્શ્ય સર્જાયુ. ત્યાં ઉપસ્થિત હજારો અમેરિકન લોકો એ પોતપોતાના સ્થાને ઉભા થઈ ને તાળીઓ ના ગડ્ગડાટ થી આ નવીન અભિવાદન ને વધાવી લીધુ. બસ પછી તો પૂછવુ જ શુ? આ સન્યાસી તો આખી સભા પર છવાઈ ગયા, અને ધીરે ધીરે આખા અમેરિકા માં સાયક્લોનિક મોંક , આંધીમય હિંદુ અને યુયુત્સુ પયગંબર તરીકે ઓળખાવા લાગ્યા. ગઈકાલ સુધી અજ્ઞાત સન્યાસી વિશ્વપ્રસિધ્ધ સ્વામી વિવેકાનંદ તરીકે જગતભર માં મશહૂર થઈ ગયા. તે દિવસ પણ 11મી સપ્ટેમ્બર નો જ હતો કે જ્યારે એક સન્યાસી એ જગત થી ગઈકાલ સુધી લગભગ અજ્ઞાત કે પછી ઘણાબધા પૂર્વગ્રહો થી ગ્રસ્ત એવા સનાતન હિંદુ ધર્મ નો અને ભારત નો આખા વિશ્વ માં ડંકો બજાવી દીધેલો !!


    આ ઘટનાથી બરાબર 13 વર્ષ પછી નો આ જ દિવસ કે જ્યારે સ્વામી વિવેકાનંદ ને બ્રહ્મલીન થયે 4 વર્ષ વીતી ચૂક્યા છે. 11 સપ્ટે. 1906 ના રોજ દક્ષિણ આફ્રિકા ના ટ્રાંસવાલ પ્રાંત ના ઓલ્ડ થિયેટર નામના એક સભાગૃહ ત્યાનાં લગભગ 3000 જેટલા લોકો ની એક સભા ભરાઈ હતી. જેમાં આખા ભારત માં થી ત્યાં મજૂરી કરવા ગયેલા ગિરમિટિયા મજૂરો અને અમુક વેપારીઓ સામેલ હતા, જેઓ મોટાભાગે ગુજરાતી, તમિલ અને હિંદીભાષી હતા. સામે મંચ ઉપર દક્ષિણ આફ્રિકા માં વસતા લોકો ના પ્રતિનિધિઓ વિરાજમાન હતા. આ બધા લોકો ત્યાની બ્રિટિશ સલ્તનતે ભારતીયો ઉપર લાદેલા અન્યાયી અને અમાનવીય કાયદાઓ (જેવા કે " આજથી ઈસાઈ સિવાય ની કોઈ પણ પરંપરા થી થયેલા લગ્ન ગેરકાયદેસર ગણાશે, બધી જ ભારતીય સ્ત્રીઓ ને બ્રિટિશ સૈનિકો અને પોલીસ કપડા ઉતરાવી ને પણ ચેક કરી શકે !! " ) નો વિરોધ કરવા એકઠા થયેલા હતા. સૌ પ્રથમ તો ટ્રાંસવાલ બ્રિટિશ એસોશિએશન ના ચેરમેન અબ્દુલ ગની એ ઉભા થઈ ને બ્રિટિશ સરકાર નો વિરોધ કરવા માટે ની રણનીતી વર્ણવતો એક ઠરાવ વાંચી સંભળાવ્યો. (અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે તે વખતે આપણી આજની ભડકે બળતી હિંદુ- મુસ્લીમ સમસ્યા એ સમસ્યા જ નહોતી, એને પીઠબળ અને પ્રોત્સાહન તો બ્રિટિશરો એ જ આપ્યુ હતુ જેના પરિણામે એક વખત ના પ્રખર રાષ્ટ્રવાદી જિન્નાહ કટ્ટર મજહબવાદી થઈ ગયા અને ' સારે જહાં સે અચ્છા'  લખનાર અને ભગવાન રામ ને ઈમામે હિંદ કહેનાર કવિ ઈકબાલ પાકિસ્તાન ની માંગણી માં પ્રથમ હરોળ માં ઉભા રહી ગયા !!) આ ઠરાવ ને મંચ ઉપર થી ગુજરાતી, હિંદી અને તમિલ ભાષાઓ માં  ફરીફરી ને વાંચવામાં આવ્યો જેથી કરીને ત્યાં ઉપસ્થિત એક પણ માણસ તેનાથી અજાણ ન રહી જાય .આ હતો ' ચોથા ઠરાવ ' તરીકે ઓળખાતો ઐતહાસિક મુસદ્દો કે જે  જોહનિસબર્ગ માં વસતા એક ગુજરાતી વકીલ મોહનદાસ કે. ગાંધી એ તૈયાર કર્યો હતો.  જે માનવજાત ના ઈતિહાસ માં સૌ પ્રથમ વાર ક્રુર અને ઘાતકી એવી સરકાર ના દમન સામે સામૂહિક અહિંસક લડત આપવા માટે ઐતિહાસિક ઠરાવ હતો. આ ઠરાવ માં દમન નો વિરોધ કોઈ પણ પ્રકાર ના શારિરિક બળ થી નહી પરંતુ આધ્યાત્મિક અને નૈતિક બળ થી કરવાનો હતો. પોતે જ દમન નો ભોગ બની ને પોતે સહન કરવા છતા પણ દુશ્મન માટે મનમાં કોઈ જ ખરાબ ભાવ નહી લાવી ને તેને સુધારવાની અનોખી જ વાત હતી !! જે લોકો એ સૌ પહેલી જ વાર સાંભળી હતી છતાં પણ તે લોકો એ ' ભાઈ' તરીકે ઓળખાતા તેમના લાડીલા વકીલ ના કહ્યા પ્રમાણે કર્યે રાખ્યુ અને અંતે જેના રાજ માં સૂરજ કદી આથમતો નહતો એ બ્રિટિશ રાજ ને અને જનરલ સ્મટ્સ ને નમતુ જોખવુ પડ્યુ અને પહેલા માણસ પણ ગણવામા ન આવતા એવા ગિરમિટિયા લોકો ને નાગરિક તરીકે ના હક્કો મળ્યા. તો આ જ દિવસે દમન નો સામનો કરવાની એક અનોખી રીત અસ્તિત્વ માં આવી. જેને આજે આખુ વિશ્વ ' સત્યાગ્રહ ' ના નામે ઓળખે છે. અને એના પ્રણેતા આજે મહાત્મા ગાંધી કે બાપુ તરીકે જગમશહુર છે.

    તો છેલ્લે એ જ કહેવાનુ કે આપણે ભારતીય લોકો એ 9-11 ને આતંકવાદ ના ગોઝારા દિવસ તરીકે યાદ કરવા કરતા પણ વધુ સારા કારણો છે જે ભારતીય તરીકે આપણને ખબર હોવી જોઈએ અને તેનું આપણને ગર્વ પણ હોવુ જોઈએ. આમ પણ કોઈ દિવસ ને ત્રાસવાદ ના પ્રતિક તરીકે યાદ રાખવા કરતાં આધ્યાત્મિક અને અહિંસક પરિપ્રેક્ષ્ય માં યાદ રાખવો વધુ સારુ, શુ કહો છો મિત્રો?? 

           બીજી માહીતી મા જો રસ હોય તો .......

    • આજના જ દિવસે મહારાષ્ટ્ર ના એક નાનકડા ગામ માં એક ચિતપાવન બ્રાહ્મણ કુટુંબ માં 1895 ની સાલ માં ગાંધીજી ના વારસદાર સમા અને વિશ્વપ્રસિધ્ધ ભૂદાન આંદોલન નાં પ્રણેતા એવા આચાર્ય શ્રી વિનોબા ભાવે નો જન્મ થયો હતો .

    • આજના જ દિવસે ઈ. સ 1948 માં કરાંચી ના ગવર્નર હાઉસ માં ટી.બી ની બીમારી ના કારણે પાકિસ્તાન નાં સ્થાપક એવા કાયદે આઝમ મહમ્મદઅલી જિન્નાહ નું દેહાંત થયુ હતુ.




    04 September

    શિક્ષક દિન ચિંતન !!

     

    આજે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક ને શિક્ષણ ને લગતા વિચારશીલ લોકો ના થોડા વિચારબિંદુઓ પર નજર કરીશુ, શિક્ષણ એ આમ તો ખૂબ જ મહત્વ નો વિષય છે પરંતુ મને લાગે છે કે આપણા દેશ માં જે રીત નું આપવુ જોઈએ તેવુ ધ્યાન અપાયુ નથી ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ને ! જે શિક્ષણ બાળક નું માનસ તૈયાર કરે છે, જે સમયે અપાયેલુ શિક્ષણ બાળક નું આજીવન ચારિત્ર્ય નક્કી કરે છે, અને મોટા ભાગ ના કિસ્સાઓ માં તે આજીવન તેમ નુ તેમ જ રહેતુ હોય છે તેને આપણે ખૂબ જ બેદરકારીથી લીધુ છે ! આપણે શિક્ષણ વિશે નાં વિચારો જોઈએ તે પહેલા આપણા ભવ્ય વારસા ને,અનન્ય બુધ્ધિમતા અને ઉચ્ચ્તમ શિક્ષણવ્યવસ્થા ની અધોગતિ નું એક મહત્વ નું કારણ જોઈ ને આગળ વધીએ. ભારત માં અંગ્રેજો આવ્યા તે પહેલા આપણી શિક્ષણવ્યવસ્થા આટલી પંગુ નહોતી, તે વખતે પણ ભારત ની શિક્ષણવ્યવસ્થા નાલંદા ને તક્ષશિલા જેટલી ટોચે નહોતી તો આજની જેમ સાવ ખાડા માં પણ ન હોતી. એ વખતે પણ અંગેજો આપણા બુધ્ધિસામર્થ્ય, સાંસ્કૃતિક વારસા ને જોઈ ને દંગ રહી ગયેલા. આપણી શિક્ષણવ્યવસ્થા ની ઘોર ખોદનાર ટોમસ મેકોલે એ ઈ. સ. 1835 માં ભારત ના પ્રવાસ થી પાછા બ્રિટન જઈ ને ત્યાં ની પાર્લામેંટ માં જે ભાષણ કર્યુ તે આ વસ્તુ ની સાક્ષી પૂરે છે:

    “ મેં ભારત નો પૂરેપૂરો પ્રવાસ કર્યો અને એવી એક પણ વ્યક્તિ ન જોઈ કે જે ભિખારી યા ચોર હોય. મેં આ દેશ માં એટલી બધી સંપત્તિ, ઊંચા મૂલ્યો ને ઉચ્ચ બુધ્ધિસામર્થ્ય ધરાવતા લોકો જોયા છે કે જ્યાં સુધી આ દેશ નાઅ મૂળ ને જડ થી નહીં ઉખાડીએ ત્યાં સુધી કદી તેને જીતી શકીશુ નહી. આ દેશ નું મૂળ એટલે તેનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો. તેથી હું ઈચ્છુ છું કે આપણે તેના જૂના અને પ્રાચીન શિક્ષણતંત્રને, તેની સંસ્કૃતિ ને બદલાવી એ, જેથી ભારતીયો એવું માનતા થાય કે વિદેશી અને અંગ્રેજી તેમના કરતા વધુ સારુ અને મહાન છે. તો જ તેઓ સ્વાભિમાન અને સ્વ-સંસ્કૃતિ ગુમાવશે અને આપણે તેઓને જેવા ઈચ્છીએ છીએ તેવા તેઓ બનશે—એક ખરા અર્થ માં પરાધીન દેશ. “

    આ વાંચી ને જો એમ થયુ હોય કે ખરેખર આપણે કોઈ મોટી ભૂલ કરીએ છીએ અને જે સુધારવી જોઈએ તો જરા વિચારજો એના વિશે, હવે આપણે જોઈશુ શિક્ષણ વિશે વિદ્વાનો નાં વિચારબિંદુઓ.

    આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, મન ની સુષુપ્ત શક્તિઓ જાગે, જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવી ને તેને પોતાના પગ પર ઉભો કરી શકે.

    - સ્વામી વિવેકાનંદ

    સાચુ શિક્ષણ એ છે કે જે સામાન્ય માં આ મુજબ ની ભાવના જગાડે : “ લોકો મારુ કામ જુએ કે ન જુએ , તેની કદર કએ કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તો પણ સંપૂર્ણ નિષ્ઠા અને શક્તિ ના ઉચ્ચતમ ધોરણ અનુસાર હું મારુ કામ કરતો જ રહીશ “

    - ફાધર વાલેસ

    ભણાવવુ એટલે જ્ઞાન આપવું અને સાથે સાથે મરદાનગી આપવી, આજે તો શિક્ષણ નું મુખ્ય કામ અન્યાય અને અત્યાચાર સામે લડવાનું શીખવવા નું છે.

    – મનુભાઈ પંચોળી ‘ દર્શક ‘

    એક નાનું બાળક બીજુ તો કયાં કશુ માંગે છે ? તેના નિર્દોષ વદન ઉપર તો માત્ર બે જ શબ્દો આલેખાયેલા હોય છે : “ મને સમજો “ .

    - વિનોબા ભાવે

    આપણે આપણાં બાળકો ને લાડ કરીએ કે મારીએ, તેમની ચિંતા કરીએ કે ઉપેક્ષા કરીએ – દરેક વર્તન મારફત આપણે એમને કાંઈક ને કાંઈક શીખવીએ છીએ.

    બાળક ને કાખ માં તેડી ને માતા બજાર માં જાય ત્યારે તે બાળક નું મોટુ શિક્ષણ કરે છે.

    બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ, એ તો એક જ્યોત છે – જેને પેટાવવાની છે.

    – અજ્ઞાત

    ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષક ને સોંપાણા,

    કારાગાર સમી શાળા ના કાઠ ઉપર ખડકાણાં !

    વસંત વર્ષા ગ્રીષ્મ શરદ નાં ભેદ બધાય ભૂલાણાં ;

    જીવનમોદ તણા લઘુતમ માં પ્રગતિપદ છેદાણાં!

    હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં;

    લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યા જ સૂકાણાં !

    તે દિન આંસુભીના રે , હરિ ના લોચનિયાં મે દીઠા !

    - કરસનદાસ માણેક


    Animals can be trained only humans can be educated. Education requires personal participation and transformation. It involves cultivation of mind, not merely with the view to offering it as a commodity for a sale in market. At their best, our present day universities are academic cafeterias offering junk food for the mind. At their worst, they are breeding grounds of corruption and indiscipline and irresponsibility.

    - N.A.Palkhivala

     

    In the ancient shadows and twilights, where childhood had strayed

    The world’s great sorrows were born and its heroes were made,

    In the lost boyhood of Judas the Christ was betrayed!!

    - Anonymous

     

    જો રદ્દી માં રદ્દી માં શિક્ષણ માટે જો કોઈ પરમવીર ચક્ર એનાયત કરવામાં આવતુ હોય તો હું એના માટે આજની આધુનિક શિક્ષણવ્યવસ્થા ની ભલામણ કરું !

    - વિનોબા ભાવે

    મને કઈ નોકરી મળશે, મને કોણ કામ આપશે, - એ બધો વલોપાત છોડી દો. પોતાની યોગ્યતા વધારો, સુપાત્ર થાવ, અધ્યયન ને ઊંડુ બનાવો અને સદાચાર કેળવો એટલે કામ તો તમને ખોળતુ આવી પડશે. કાર્યક્ષેત્ર શોધવા જવાનાં ફાંફા ન મારશો. ઉંચા માં ઉંચા કાર્ય ને યોગ્ય થતા રહેવુ એ જ ખરી કેળવણી છે .

    - કાકાસાહેબ કાલેલકર

    શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? ના. એ પણ નહિ. જે કેળવણી થી ઈચ્છાશક્તિ નો પ્રવાહ અને આવિષ્કાર સંયત બની ને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ.

    - સ્વામી સચ્ચિદાનંદ


    बच्चों के छोटे हाथों को चाँद सितारे छूने दो
    चार किताबें पढ़ कर वो भी हम जैसे हो जायेंगे

    - निदा फाजली

    ડિગ્રી તો મેળવો પરંતુ સ્મિત ટકાવી રાખો, ફર્સ્ટ ક્લાસ તો લાવો પણ દિલ ના ધબકારા ઓછા ન થવા દો. વ્યવહારૂ બનો પણ આદર્શ નું તેજ ઓછુ ન થવા દો.

    - ફાધર વાલેસ

    શિક્ષણ નો મૂળભૂત હેતુ છે, વ્યક્તિ નો શારિરીક, બૌધ્ધિક, માનસિક, અને નૈતિક શક્તિઓ નું યથાયોગ્ય સંકલન કરી ને એક સંપૂર્ણ માનવી નું નિર્માણ કરવાનો છે.

    - ( યુનેસ્કો ના રિપોર્ટ ‘ લર્નિંગ ટુ બી’ માં અપાયેલી શિક્ષણ ની વ્યાખ્યા )

     

    Numerous are the academic chairs, but rare are wise and noble teachers. Numerous and large are the lecture halls, but far from numerous the young people who genuinely thirst for truth and justice.

    Inward freedom is an infrequent gift of nature and a worthy objective for the individual. Today, schools may favour such freedom by encouraging independent thought. Only if outward and inner freedom are constantly and consciously pursued is there a possibility of spiritual development and perfection and thus of improving man's outward and inner life.

    - (Albert Einstein, 1940)

     

    હવે ગઈ સદી ના સર્વોત્તમ શિક્ષક એવા મહાત્મા ગાંધી નાં આધુનિક શિક્ષણ, આજે ગાંડપણ ની હદ સુધી વિસ્તરેલ અંગ્રેજી માધ્યમ ના ક્રેઝ તથા આજ ના પગારલક્ષી શિક્ષકો ને નોકરીલક્ષી વિદ્યાર્થીઓ ને મારેલા ચાબખા જોઈશુ.......

     

    The school must be an extension of home, there must be concordance between the impressions, which a child gathers at home, and at school, if the best results are to be obtained. Education through the medium of strange tongue breaks the concordance, which should exist. Those who breaks this relationship are enemies of the people even though their motives may be honest.

    The foreign medium has caused brains fag, put an undue strain upon the nerves of our children, made them crammers and imitators, unfitted them for original work and thought, and disabled them for filtrating their learning to the family or the masses. The foreign medium has made our children practically foreigners in their own lands. It is the greatest tragedy of the existing system.

    If teachers impart all the knowledge in the world to their students but inculcate not truth and purity among them., they will have betrayed them and instead of raising them set them on the downward road to perdition. Knowledge without character is a power for evil only, as seen in the instances of so many talented thieves and gentlemen rascals in the world.

    An education, which does not teach us to discriminate between good and bad, to assimilate the one and eschew the other, is a misnomer.

    Literacy in itself is no education. Literacy is not the end of education nor even the beginning. Literacy education should follow the education of the hand-the one gift that visibly distinguishes man from beast.

    What is really needed to make democracy function is not knowledge of facts, but right education.

    - Mahatma Gandhi





    02 September

    તમે એને સામે મળ્યા હોત તો ???


     

    એક માણસ નું જીવન ઝેર થઈ ગયુ. આશા નું એક નાનકડુ એક કિરણ પણ ક્યાંય નજરે ચઢતુ ન હતુ. એને થયુ કે આ જીવન નો અંત લાવી દીધે જ હવે તો છૂટ્કારો છે. આમ વિચારી શહેર ની વચ્ચોવચ થી પસાર થતી રેલ્વે લાઈન પર જ્યારે ગાડી આવે ત્યારે તેની નીચે પડતુ મૂકવાનુ નક્કી કર્યુ . પણ કદાચ કોઈ દૈવી પ્રેરણા થી પ્રેરાઈ ને (કે માણસજાત ના સ્વભાવ  પર વિશ્વાસ રાખી ને !!) તેણે બીજો પણ એક સંકલ્પ કર્યો કે તેને રેલ્વે લાઈન જતાં જતાં  સામે મળે એ માણસો માં થી જો એક પણ અજાણ્યો માણસ એની સામે જોઈને એવુ સ્મિત કરે કે એનાથી એના અંતર મા થોડી હુંફ પ્રગટે તો તે મરવા નો વિચાર છોડી ને પાછો ઘરે ચાલ્યો જશે !!

    વાત વાંચી ને થોડી વિચિત્ર લાગી કેમ? પણ જરા વિચારજો......

          " જો કદાચ તમે જ એને રસ્તા માં સામે મળી ગયા હોત તો શું એને ઘરે પાછા ફરવાનું કારણ આપી શક્યા હોત ?? "

    [ આ વાત મારા ક્યાંક વાંચવા માં આવી હતી... કોણે લખી છે એ તો અત્યારે યાદ નથી પણ જેવી યાદ રહી તેવી તમારી સમક્ષ રજૂ કરી છે ..... પણ મિત્રો ફરી ફરી ને વિચારજો કે કદચ તમે જ એને સામે મળ્યા હોત તો શુ એને જીવવાનુ કારણ આપી શક્યા હોત ? મને તો આ પ્રશ્ને ખૂબ હેરાન કર્યો છે.... !! ]


    24 August

    A VERY GOOD ARTICLE.......

     

    કટોકટીને પહોંચી વળવાની દસ ચાવીઓ કઈ ?

     

    ‘જહાજ, ડૂબી રહ્યું છે કપ્તાન, આપનો શો આદેશ છે ?’ સહાયક કેપ્ટન પૂછે છે ! ‘‘સાગરને એનું કામ કરવા દો. આપણે આપણું કામ કરીએ. જહાજ ડૂબી રહ્યું છે, એની સાથે આપણા પ્રયાસ અને સંકલ્પને પણ ડૂબવા દઈએ, એ થોડું જરૂરી છે ? બચાવની કામગીરી વઘુ મજબૂત બનાવો.’’- કેપ્ટનનો આત્મવિશ્વાસ અડગ હતો.

    ‘‘અરે ! પણ આપણી મદદ આવા તોફાનમાં કોણ કરશે ?’’- સહાયક કેપ્ટનની શંકા.

    ‘‘જેણે તોફાન મોકલ્યું છે એ. જેને તોફાન સર્જતાં આવડે છે એને તોફાન શમાવતાં પણ આવડે છે ! શંકા શ્રદ્ધાને ગળી જાય તો માઠાં પરિણામો વગર નોંતરે આવે છે...તમામ સંપર્કો ચાલુ રાખો. પૂરી તાકાતથી સાવધાની રાખી સમસ્યા સાથે લડતા રહો. મોત પહેલાં મોતનો ભય સેવવો એ કાયરનું કામ છે. જાઓ....’’- કેપ્ટન પોતાની કામગીરીમાં પરોવાય છે.

    અને ચોતરફથી મદદ આવી પહોંચે એ પહેલાં જ જહાજ તોફાનમાંથી હેમખેમ ઉગરી ગયું !

    શંકા સાવકી માતા છે અને શ્રદ્ધા આપણી સગી માતા. તેમ છતાં માણસ સાવકી માતાના ખોળામાં બેસવા શા માટે પહેલ કરે છે એ પણ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા જ કહેવાય. સમસ્યાઓનાં વાદળ ઘેરાય ત્યારે શંકાશીલ બનવા કરતાં શ્રદ્ધાશીલ રહેવું લાખ દરજ્જે સારૂં. આપણને ઈશ્વરના આશીર્વાદ ખપે છે, પણ મસ્તક નમાવવાનો અધિકાર આપણા હાથમાં રાખીએ છીએ. ઈશ્વરને અઘૂરૂં અર્પણ ગમતું નથી ! દૈવી શક્તિ આપણી અડખે-પડખે આપણો હાથ ઝાલવા તત્પર જ હોય છે. એની મદદની માત્રાનો આધાર આપણી શ્રદ્ધાના ઊંડાણ પર હોય છે.

    અહીં ‘પાવર ઑફ પોઝિટિવ થિંકિંગ’ (લેખક નોર્મન પીલ)માં વર્ણવાયેલા એક બિઝનેસમેનનો પ્રસંગ અણીને સમયે દેવીકૃપાની અનુભૂતિની દ્રષ્ટિએ યાદ રાખવા જેવો છે. બિઝનેસમાં એની હોંશિયારી અને ધંધાકીય કાબેલિયત ભારે, પણ મદ્યપાન એની મોટી કમજોરી. દારૂની લતમાંથી એ છૂટી શકતો નહોતો. સફળતા તેને મળતી હતી પણ દારૂની લત એનું કામ બગાડી નાખતી હતી.

    નોર્મલ પીલની ‘એ ગાઈડ ટુ કોન્ફિડેન્ટ’ પુસ્તક વાંચ્યા બાદ એ બિઝનેસમેનના મનમાં વિચાર આવ્યો કે જો પોતે ન્યૂયોર્ક પહોંચી જાય તો પોતાની સમસ્યાનું નિરાકરણ મળી જાય. એ ન્યૂયોર્ક તો પહોંચ્યો પણ અંધાઘૂંધ મદ્યપાનને લીધે બેહોશીની સ્થિતિમાં હતો. એક મિત્રે એને હોટેલમાં પહોંચાડી દીધો.

    હોંશમાં આવ્યા પછી હોટલના વેઈટરને એણે વિનંતી કરી કે પોતાને ટાઉન્સ હોસ્પિટલમાં જવું છે. ડૉ. સિલ્કવર્થના નેતૃત્વ હેઠળ આ સંસ્થા મદ્યપાનની લતમાં સપડાયેલાને મદદરૂપ થાય છે.

    પેલા વેઈટરે એ બિઝનેસમેનને હોસ્પિટલ તો પહોંચાડ્યો પણ એના ખિસ્સામાંથી ડૉલર કાઢી લીધા. ડૉ. સિલ્કવર્થે પૂરો રસ લઈ તેને સારવાર આપી. ડૉ. સિલ્કવર્થ કોઈ અગમ્ય શક્તિની પ્રેરણાથી જાણે કે તેની મદદ કરી રહ્યા હતા. એમણે કહ્યું ઃ ‘‘ચાર્લ્સ, મને લાગે છે કે તમારે માટે હું જે કાંઈ કરી શકું તેમ હતો, મેં કર્યું છે. મને લાગે છે કે તમે (માનસિક રીતે) સ્વસ્થ થઈ ચૂક્યા છો.’’

    ચાર્લ્સ હૉસ્પિટલનાં પગથિયાં ઉતર્યો અને એની ઇચ્છા માર્બલ કોલેજિયેટ ચર્ચે જવાની થઈ. ચર્ચના દરવાજે પહોંચ્યો, ત્યારે ચર્ચનો દરવાજો બંધ હતો. એની ઇચ્છા હતી કે ચર્ચમાં પહોંચી પોતે પ્રાર્થના કરી હળવાશ અનુભવશે. પણ અફસોસ એ વાતનો હતો કે ચર્ચ ખુલ્લું નહોતું.

    અને એકાએક એના મનમાં વિચાર સ્ફૂર્યો....એણે પોતાના ખિસ્સામાંથી પોતાનું બિઝનેસકાર્ડ કાઢ્યું...અને ચર્ચના દ્વારની ટપાલપેટીમાં તે કાર્ડ નાખી દીઘું.

    એને તે જ ક્ષણે કોઈ દિવ્ય અનુભૂતિ થઈ. તેણે ચર્ચના દરવાજે મસ્તક ટેકવી નમન કર્યું અને નાના બાળકની જેમ તે મન મૂકીને રડ્યો. તેને લાગ્યું કે પોતાનામાં કોઈ અજ્ઞાત કારણસર જબરદસ્ત પરિવર્તન થઈ રહ્યું છે, અને ત્યાર બાદ એ બિઝનેસમેન ચાર્લ્સે પાછું વાળીને દારૂ પ્રત્યે નજર સુદ્ધાં કરી નહોતી. તે સંપૂર્ણપણે નશામુક્ત થઈ ગયો હતો.

    જિંદગી છે એટલે સમસ્યાઓ તો આવવાની જ. એને આવતી રોકવાનું આપણા હાથમાં નથી પણ સમસ્યાઓની સામે ઢાલ બનીને અડીખમ ઉભા રહેવાનું તો આપણા હાથમાં છે. સમસ્યાઓ સામે લડવાની રેડીમેઈડ ફોર્મ્યૂલાઓ મળતી નથી. હા, એ માટેનું માર્ગદર્શન આપણને પ્રાપ્ત થાય એવી અનુભવવાણી મદદરૂપ થઈ શકે. પ્રાર્થના અને આઘ્યાત્મિક શક્તિ આપણને સ્ફૂર્તિવંત રાખી શકે. સમસ્યાઓ અને કટોકટીની ક્ષણોને તમે જો સુપેરે નિયંત્રિત કરી શકો તો તેમાંથી ભવ્ય વિજયનો માર્ગ સ્વતઃ તૈયાર થવા માંડશે. દિમાગની સર્જનાત્મક શક્તિ આપણી રાહ જોઈને બેઠી હોય છે કે આપણે અનિર્ણયાત્મકતાનાં વાદળ વિખેરીને પૂરી તાકાત અને સંકલ્પશક્તિથી કાર્યરત બનીએ. માણસને વાદળો સર્જતાં આવડે છે, પણ એમને વિખેરતાં નથી આવડતું ! પરિણામે વાદળો વિખેરાવાને બદલે માણસને વેરવિખેર કરીને ચાલતાં થાય છે. ગમતાનો જ ગુલાલ નહીં, પણ વણગમતાનો ગુલાલ કરવાની આવડત એ પણ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે.

    કટોકટીપૂર્ણ કે સમસ્યાભરી પરિસ્થિતિને દૂર હડસેલી મૂકવાની કોઈ ચાવી ખરી ? વૉલી એમસ (મેન વીથ નો નેઈમનો લેખક) એ માટેની દસ ચાવીઓ સૂચવે છે.જેને સંક્ષેપમાં આ રીતે સમજી શકાય ઃ-

     

    ૧. મહેરબાની કરી તમે પોતે સમસ્યાનો એક ભાગ બની જશો નહીં.

    ૨. તમારી પરિસ્થિતિની વાસ્તવિકતાની નોંધ લઈ તેનો સ્વીકાર કરો.

    ૩. તમારા પોતાના માટે નવી (આશાભરી) જિંદગીના નિર્માણ પરત્વે પ્રતિબદ્ધ રહો.

    ૪. દરેક અનુભવમાંથી કશોક બોધપાઠ લેવાની કોશિશ કરો.

    ૫. સમસ્યાઓ પ્રત્યે માનસિક સકારાત્મક અભિગમ અપનાવવાનું ચાલુ રાખો.

    ૬. તમારી શ્રદ્ધાના દીપકને પ્રજવલિત રાખો.

    ૭. હંમેશાં વર્તમાનમાં જીવવાનો સભાનપૂર્ણ પ્રયત્ન કરો.

    ૮. તમારી ઉત્સાહવૃત્તિને જીવંત અને સક્રિય રાખો.

    ૯. નિઃસ્વાર્થ સેવાકીય કાર્યોમાં પણ વ્યસ્ત રહો.

    ૧૦. સદાય જવાબદાર, નેક અને વફાદાર રહેવાનું ઘ્યેય નજર સમક્ષ રાખો.

     

    આનો અર્થ એ નથી કે માત્ર આ અને આ જ સિઘ્ધાંતો સમસ્યાઓની સામે ઝઝૂમવા માટે અનિવાર્ય છે.

    જિંદગી આખરે શું છે ? આત્મસંતોષની સતત શોધ. આત્મસંતોષનો આધાર કાર્ય અને જવાબદારી પ્રત્યેની સન્નિષ્ઠામાં રહેલો છે. દુઃખ જોરદાર હોય છે, પણ દુઃખનેય ભારે પડે એવું જોરાવર વ્યક્તિત્વ વિકસાવવા માટે તો આપણે આ ધરતી પર આવ્યા છીએ. જેનામાં અગનખેલ સામે અણનમ રહેવાની તાકાત ન હોય એણે આ ધરતીના માણસ તરીકે પોતાને અવતાર ન પ્રદાન કરવાની પરમ શક્તિને વિનંતી કરવી જોઈએ. આફતો દુર્જન નહીં પણ સજ્જન ડાકુઓ છે. એ લૂંટી જશે, એના કરતાં બમણું આપતા પણ જશે.

    ‘હેન્રી ડેવિડ થૉરો’ના વિચારોનો એક પ્રેરક અંશ ‘ઝરૂખે દીવા’માં સંકલિત છે. તદનુસાર થૉરો કહે છે ઃ ‘‘હું જે છું અને મારી પાસે જે છે તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યજનક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વનું ભાન હોય, તેનાથી પણ તે સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મઘુર લાગે છે. મારી અસ્પષ્ટ, અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરૂં છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! કારણ કે મારી માલમિલકત નહીં,પણ મારો આનંદ એ જ મારી દોલત છે.'

    (સાભાર : ગુજરાત સમાચાર, રવિપૂર્તિ 24 મી ઓગષ્ટ.)





    07 August

    HIROSHIMA DAY.....

     

    Many of us don't know that today is the Hiroshima Day.....on the same day 63 years ago the demon of Imperialism and the ego of the most powerful nation of the world engulfed so many innocent lives as well as unborn infants !!

    It might look strange but its the fact that people who died in that blast were luckier than those who survived that blast ! Because the people who died instantly were died in just one instance but survived people died in many instances as they got permanent deformations in their genetic structure, and as a result their forthcoming generation had to suffer a lot.

    Here I present the touching story of a girl who survived that blast in her own words......

     

    A baby’s Prayer from Hiroshima to save Human Race

    from nuclear destruction

    My grand aunt died two years ago. Strangely, there was more relief in the family than grief at her death. She was not like us. She had some deformation in her body. She could not speak properly and she was physically and mentally challenged, so she could not go to school.

    She always carried a wonderful smile on her face. I love her very much and we liked to play with each other.

    As I grew up, I asked my parents, why God was so unkind that He made my grand aunt the way she was and I was told by my parents that this was not the handiwork of God. This was the result of man’s greed and ambition to rule the world.

    I failed to understand so they explained to me what had happened. My father’s grand mother was pregnant when that atomic bomb was dropped on Hiroshima. She was away from the spot where the bomb was dropped and was affected by radiation of Atom Bomb. Some thought that she was lucky and so was the baby in her womb, to have survived but that was not to be. When my grand aunt was born, she was deformed by radiation of atomic bomb dropped on Hiroshima. The family decided to take extra care of it and give the baby more love.

    Many countries want to make more and more nuclear bomb to get power and to rule the world. But I don’t understand who will be survivor after the nuclear war and who will be the winner.

    It does not require courage to drop bombs. One has to be heartless and cold-blooded to do so. It requires courage to stand up peacefully and nonviolently like Mahatma Gandhi.

    If only 10% of the budget spent on defence or manufacturing of arms of the world is saved and spend on education and health, then all the children of the world can live a better life.

    I don’t understand why elders of all nations talk about peace, brotherhood, equality, human rights, non-violence and established the international institutions like UN for peace. In fact, they are doing just opposite. Why? Why they don’t think for their children’s future to whom they say they love?

    Oh God! Please give wisdom to elders not to destroy this beautiful Earth for the sake of their children’s future.

     


    30 Juli

    યુરિપિડિસ....

     

    ઇ.સ પૂર્વે પાંચમી સદી માં ગ્રીસ ના એક મહાન વિદ્વાન યુરિપિડિસે એક સુંદર વિધાન કરેલુ કે જે આજના બેજવાબદારી, કાયરતા અને સંવેદનહિનતા ના આ જમાના માં ખૂબ જ પ્રસ્તુત છે.

    " જ્યારે કોઈ સજ્જ્ન વ્યક્તિ ઘવાય ત્યારે,

    જેઓ સારા ગણાય છે તેવા સૌને 

    એ વ્યક્તિને થાય તેવી પીડા થવી જોઈએ. "


    15 Juli

    એક રસપ્રદ કિસ્સો......



            એક દિવસ એક કુહાડી એક મોટા તોતિંગ ઝાડ પાસે આવી ને બોલી......
                
                 કુહાડી :   " હું તને કાપવા માટે, તારુ અસ્તિત્વ મિટાવા માટે આવી છુ "
                 ઝાડ(ગર્વ થી માથુ ઉંચુ કરીને)    :   " તુ એક 400 ગ્રામ ની કુહાડી ને હુ આવડુ મોટુ વિશાળ વ્રુક્ષ, તુ પહેલા તારી હેસિયત માં રહી ને વાત કર "

    એ દિવસે તો કુહાડી હાર માની ને ત્યા થી જતી રહી.....પણ થોડા દિવસો થયા ત્યાં તો તે લાકડા નો હાથો લગાવી ને પાછી આવી પેલા ઝાડ પાસે ને ફરીથી પહેલા થી પણ વધુ મુસ્તાક સ્વર માં ઝાડ ને પડકાર્યુ.....પણ આ વખતે  ઝાડ કંઇ જ ના બોલ્યુ, બસ માથુ નમાવી ને વિલા સ્વરે માત્ર  એટલુ જ બોલ્યુ કે.....
         
                              " હવે જો મારા જ લોકો તારી સાથે મળી ને મારુ અસ્તિત્વ મટાવા માંગતા હોય તો પછી હુ જીવી ને પણ શુ કરુ ??"
     
         અને પેલી કુહાડી એ લાકડા ના હાથા સાથે મળી ને પેલા ઝાડ નુ નિકંદન કાઢી નાખ્યુ ને ઝાડ ચૂપચાપ એ બધા ઘા સહન કરતુ રહ્યુ.........

                           મિત્રો ! આ તો જાણે એક વાત હતી....પણ જરા વિચારજો કે ક્યાંક ને ક્યાંક આપણે પણ પેલા લાકડા ના હાથા ના સગાવ્હાલા તો નથી ને ?? આપણે પણ ક્યાંક બીજા ઓ જોડે મળી ને આપણા પોતા ના જ મૂળીયા તો નથી ઉખાડવા બેઠા ને......???? 








    13 Juli

    Prayer for today


    SERENITY PRAYER


    God grant me the

    Serenity to accept the

    Things I can not change,

    Courage to change the

    Things I can, and the

    Wisdom to know the

    Difference !!




    11 Juli

    THINK DAILY BE HEALTHY !!

             


                I actually cant understand why it happen with the humans, but sometimes in the life you find yourself in the sittuation where you can't look the way ahead. the only thing u know is you must walk...either you find the floral paths or the fire path !! One have to surrender the decision taken by don't know who....some says God, some says destiny, some says karmic relations, some says life. But, one thing is for sure that you have to follow the law of the life there's no way out. The flow of life is constantly flowing and you have no choice but flowing with it.....


    That journey is labelled as life.....the flow of life....


      where everything is pre-decided or nothing is certain !!
      where time is created by man or man is governed by time !
      where nothing is in your hands or you can do everything !

      where everything is flowing with life or everything is stable !                  
      where everything is perfectly made or you can make it better !     
      where relations are made in heaven or you can built them here !           
      where world is made up of love or one can't find any in lifetime !                         
      where you got no control on your life or can change your destiny !
     
    where nature says anything is possible or you say nothing is impossible !
      where your life itself is not your decision or you can decide each aspect of your life !
      where death is decided and certain or you think ....oh ! you never think about that, did U??!!     

        yeah...thats true  we never wanna accept that we are also going to die, right?? Let's try this, just imagine that you are going to die in a week.....still you keep behaving like you behave everyday......just think.....not only read and forget.......try that....and don't forget to reply me what u feel......